Site icon Kalavad.com

હવેલી બંધાવી દઉં શ્રીજી

શ્રીનાથજી | shreenathji

God shreenathji

હવેલી બંધાવી દઉં શ્રીજી

અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો કરીને ગોવર્ધન ટેકરી ઉપાડી હતી.એક કાળા આરસના રૂપમાં છે, જ્યાં ભગવાન તેના ડાબા હાથને ઊંચો કરીને અને અને જમણો હાથ મુઠ્ઠી વાળેલ કમરે છે.

હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની

રેતીએ પ્રેમની લાવી હુંતો લાવી સ્નેહની ઈંટો
રેડી મેં લાગણીઓને ચણાવી છે ભાવની ભીંતો

દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ગામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની

માનવતણાં ફળીયે મેં બોલાવ્યા મેં દેવોને
સતસંગને અપનાવીને છોડીને કુટેવોને

હૃદયમાં કંડારી દઉં મુરત શ્રીનાથની
ધજાઓઅ ફરકાવી દઉં હરિ તારા ધામની

ભગવાન શ્રીનાથજીનું અનેક અત્યંત સુંદર ભજન છે જેમકે ઓ શ્રીનાથજી આવજો તમે, આજે વલ્લભ પધાર્યા વગેરે.

Exit mobile version