Site icon Kalavad.com

આગ્રાનો કિલ્લો

આગ્રાનો કિલ્લો - aagra fort | aagra | Uttar pradesh

આગ્રાનો કિલ્લો

આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહેરમાં સ્થિત છે. આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે.

ભારતના મુઘલ બાદશાહ બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ અહીં રહેતાં હતાં, અને અહીં થી પૂરા ભારત પર શાસન કરતા હતાં. અહીં રાજ્યનો સર્વાધિક ખજાનો, સમ્પત્તિ અને ટંકસાળ હતાં. અહીં વિદેશી રાજદૂત, યાત્રી અને ઉચ્ચ પદસ્થ લોકોની આવ જાવ લાગી રહેતી હતી, જેમણે ભારતના ઇતિહાસને રચ્યો.

આ મૂલતઃ એક ઈંટોંનો કિલ્લો હતો, જે ચૌહાણ વંશના રાજપૂતો પાસે હતો. આનું પ્રથમ વિવરણ ૧0૮0 ઈ.સ. માં આવે છે, જ્યારે મહમૂદ ગજનવીની સેનાએ આની પર કબ્જો કર્યો હતો. સિકંદર લોધી (૧૪૮૭-૧૫૧૭), દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલ્તાન હતો, જેણે આગ્રાની યાત્રા કરી , અને આ કિલ્લા માં રહ્યો હતો. તેણે દેશ પર અહીં થી શાસન કર્યું, અને આગ્રા ને દેશની દ્વિતીય રાજધાની બનાવી.

પાણીપત યુદ્ધ પછી, મોગલોએ આ કિલ્લા પર કબ્જો કરી લીધો, સાથે જ આની અગાધ સમ્પત્તિ પર પણ. આ સમ્પત્તિમાં જ એક હીરો પણ હતો, જે કે પાછળથી કોહિનૂર હીરાના નામથી પ્રસિદ્ધ થયો. સન ૧૫૩0 માં, અહીં હુમાયું નો રાજ્યભિષેક થયો. હુમાયું આ જ વર્ષે બિલગ્રામમાં શેરશાહ સૂરીથી હારી ગયો, અને કિલ્લા પર શેરશાહ સૂરીનો કબ્જો થઈ ગયો. આ કિલ્લા પર અફગાનોનો કબ્જો પાંચ વર્ષોં સુધી રહ્યો, જેમને અન્તતઃ મોગલોંએ ૧૫૫૬ માં પાણીપતના દ્વિતીય યુદ્ધમાં હરાવી દીધા.

આના નિર્માણમાં ચૌદ લાખ ચુમ્માલીસ હજાર કારીગર અને મજદૂરોએ આઠ વર્ષોં સુધી મેહનત કરી , ત્યારે સન ૧૫૭૩ માં આ બનીને તૈયાર થયો. અકબરના પૌત્ર શાહજહાંએ આ સ્થળને વર્તમાન રૂપમાં પહોંચાડ્યો. આ કિલ્લો ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સમયે યુદ્ધ સ્થળ પણ બન્યો.

કિલ્લાના ચાર ખૂણે ચાર દ્વાર છે, જેમાંથી એક ખિજડ઼ી દ્વાર, નદીની તરફ ખુલે છે. આના બે દ્વારો ને દિલ્લી ગેટ તથા લાહૌર ગેટ કહે છે, લાહૌર ગેટને અમરસિંહ દ્વાર પણ કહેવામાં આવે છે. શહેરની તરફનો દિલ્લી દ્વાર, ચારેમાં ભવ્યતમ છે. આની અંદર એક વધુ દ્વાર છે, જેને હાથી પોળ કહે છે, જેની બનેં તરફ, બે વાસ્તવાકાર પાષાણ હાથીની મૂર્તિઓ છે, જેની પર સ્વાર રક્ષક પણ ઊભા છે. એક દ્વારથી ખુલવા વાળો પુલ, જે ખાઈ પર બન્યો છે, અને એક ચોર દરવાજો, આને અજેય બનાવે છે.

સ્મારક સ્વરૂપ દિલ્લી ગેટ, સમ્રાટનો ઔપચારિક દ્વાર હતો, જેમાંથી ભારતીય સેના દ્વારા (પૈરાશૂટ બ્રિગેડ) કિલ્લાના ઉત્તરી ભાગને છાવણીના રૂપમાં પ્રયોગ થાય છે. અતઃ દિલ્લી દ્વાર જન સાધારણ હેતુ ખુલ્લો નથી. પર્યટક લાહૌર દ્વારથી પ્રવેશ કરી શકે છે, જેનું લાહૌરની તરફ મુખ હોવાના કારણે આવું નામ આપવામાં આવ્યું છે. અબુલ ફજ઼લ લખે છે,કે અહીં લગભગ પાઁચ સૌ સુંદર ઇમારતો, બંગાલી અને ગુજરાતી શૈલીમાં બનેલી હતી. ઘણીઓને શ્વેત આરસ પ્રાસાદ બનવાને માટે ધ્વસ્ત કરવામાં આવી. અધિકાંશને બ્રિટીશે ૧૮0૩ થી ૧૮૬૨ના વચ્ચે, બૈરેક બનવા માટે તોડાવી દીધી.

જોવાલાયક સ્થળો

અંગૂરી બાગ ભૌમિતિક પ્રબંધિત ઉદ્યાન
દીવાન-એ-આમ આમાં મયૂર સિંહાસન સ્થાપિત હતું, આનો પ્રયોગ આમ જનતાથી વાત કરવા અને તેમની ફરિયાદ સાંભળવા માટે થતો હતો.
દીવાન-એ-ખ઼ાસ આનો ઉપયોગ તેના ઉચ્ચ પદાધિકારિઓની વાતચીત અને મંત્રણાના માટે કરવામાં આવતો હતો, જહાઁગીરનું કાળું સિંહાસન આની વિશેષતા હતી
સ્વર્ણ મંડપ બંગાળી ઝૂંપડ઼ીના આકારના છપરા વાળો સુંદર મંડપ
જહાઁગીરી મહલ અકબર દ્વારા પોતાના પુત્ર જહાઁગીર માટે નિર્મિત
ખાસ મહલ શ્વેત સંગમરમર દ્વારા નિર્મિત આ મહેલ, સંગમરમર રંગસાજીનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
મછલી ભવન તળાવો અને ફુવારાઓથી સુસજ્જિત, અન્ત:પુરના ઉત્સવોંના માટે મોટો ઘેરાવ.
મીના મસ્જિદ એક નાની મસ્જિદ
મોતી મસ્જિદ શાહજહાઁ ની નિજી મસ્જિદ
મુસમ્મન બુર્જ઼ તાજમહેલની તરફ ઉન્મુખ છજ્જા વાળો એક મોટો અષ્ટભુજાકાર મિનાર
નગીના મસ્જિદ આલિન્દ સાથે જ દરબારની મહિલાઓ માટે નિર્મિત મસ્જિદ, જેની અંદર જ઼નાના મીના બાજ઼ાર હતું જેમાં મહિલાઓ જ સામાન વેચ્યા કરતી હતી.
નૌબત ખાના જ્યાં રાજાના સંગીતજ્ઞ વાદ્યયંત્ર વગાડતા હતાં.
રંગ મહલ જ્યાં રાજાની પત્ની અને ઉપપત્ની રહેતી હતી.
શાહી બુર્જ઼ શાહજહાંનો નિજી કાર્ય ક્ષેત્ર
શાહજહાઁ મહલ શાહજહાઁ દ્વારા લાલ બલુઆ પત્થરના મહેલના રૂપાન્તરણનો પ્રથમ પ્રયાસ.
શીશ મહલ નાના જડ઼ાઊ દર્પણોંથી સુસજ્જિત રાજસી વસ્ત્ર બદલવાનો ઓરડો.
Exit mobile version